Posts Tagged ‘Rupayatan Aashram Shala’

નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ – ભાનુપ્રસાદ પંડ્યાને

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
  પણ કલરવની દુનિયા અમારી!”

આ ગીત ભાગ્યે જ કોઇએ નહિં સાંભળ્યું હોય ! આ ગીતના રચિયતા કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે.

નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી સાહિત્યનો અપાતો સૌથી મોટું પુરસ્કાર – એવોર્ડ છે. નરસિંહ મહેતા એવોર્ડમાં સન્માનિત કવિશ્રીને રૂ. ૧,૫૧,૦૦૦/-ની રાશી આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ કવિને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ પૂ. મોરારી બાપુનાં હસ્તે આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એવોર્ડ રૂપાયતન – ગીરનારની ગોદમાં આપવામાં આવે છે. પરંતુ આ વખતે, પૂ. બાપુની કથા સોમનાથ ખાતે હોઇ, આ રૂડા અવસરે જ આ એવોર્ડ આપવાનું રાખેલ છે. આગામી તા. ૦૮-૧૦-૨૦૧૧ થી મોરારી બાપુની રામકથા સોમનાથ ખાતે પત્રકારો દ્વારા યોજાનાર છે. આ કથામાં તા. ૧૧ ના રોજ કવિશ્રી ભાનુપ્રસાદ  પંડ્યાને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર – નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોઃ

ભાનુપ્રસાદ પંડ્યાઃ


જન્મઃ ૨૪-૦૪-૧૯૩૨
ગામઃ તોરી (અમરેલી)
કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’

અંધ જનનું ગીતઃ


દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને
તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,

લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઇ ગયા,
જાળવતી નાતા આ સામટી સુગંધ,

સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !

આવી રહ્યો છે એક નવો બ્લોગઃ રૂપાયતન બાલ ભવન

હા, અમારો એક નવો બ્લોગ http://rupayatanbalbhavan.wordpress.com શરૂ થવા જઇ રહ્યો છે જેનું કેન્દ્ર બિદુ રહેશે બાલ ભવન. રૂપાયતન છેલ્લા કેટલાક વર્ષોથી બાલભવન પણ ચલાવી રહ્યુ છે. આ બાલ ભવન નેશનલ બાલભવન દિલ્લી સાથે સંકળાયેલ છે. હમણાં થોડા સમય પહેલા રૂપાયતન બાલ ભવનને નેશનલ વેલ્યુઝ એવોર્ડ મળ્યો હતો. આ બ્લોગમાં રૂપાયતન બાલ ભવન દ્વારા થતી વિવિધ પ્રવૃતીઓ વિષે લખવામા આવશે. તથા વિશેષતો આ બ્લોગ તરફ બાળકો પણ આકર્ષાય તેવો પ્રયત્ન રહેશે….

Rupayatan

Rupayatan

Rupayatan

Welcome to the Rupayatan’s Blog.

Rupayatan Ashram Shala,

Bhavanath,

Junagadh,

Gujarat.

Ph.No. 0285 2627573