Posts Tagged ‘girnar parikrama’

ગિરનાર પરિક્રમા 2011

This slideshow requires JavaScript.

કાર્તક સુદ અગિયારસ આવે એટલે ગુજરાત ભરના શ્રદ્ધાળુઓ ગિરનાર પરિક્રમા કરવા ભવનાથ નીકળી પડે છે. બે દિવસ પહેલાં જ ભવનાથ ખાતે પરીક્રમા પુરી થઇ. આમ જુઓ તો પરિક્રમાની શરૂઆત નોમને દિવસેથી જ શરૂ થઇ જાય છે. આ વખતે વન વિભાગ દ્વારા નોમ પહેલાં શ્રદ્ધાળુઓને જંગલમાં પ્રવેશવા દિધા નહોતા. આથી કેટલાંક લોકો કે જેઓ પરિક્રમા કરવા વહેલાં નીકળી ગયા હતા, તેઓએ રૂપાયતનની પાસેની ખુલ્લી જગ્યા – આંબાવાડીયામાં રાતવાસો કરવો પડ્યો હતો.

આ વખતે પરિક્રમા રવિવારના દિવસે હોય, ઘણાં સરકારી કર્મચારીઓએ (મેં પણ) પણ પરિક્રમાનો લાભ લીધો હતો. મારે તો આમેય ઘર બેઠાં પરિક્રમા હોય, કારણ કે ઘર પાસેથી જ લોકો નીકળે. ને વળી પરિક્રમાનું ઉદ્ઘાટન પણ અમારે ત્યાંથી જ – રૂપાયતનનાં પરિક્રમા પ્રવેશદ્વારથી થાય. તા. 06-11-2011 ના રોજ રાત્રે 12 વાગ્યે રૂપાયતન ખાતેથી વન વિભાગ, સાધુ સંતો, કલેક્ટર તથા મનપા દ્વાર પરિક્રમા ખુલ્લી મુકવામાં આવી. જય ગિરનારી, હર હર મહીદેવના નાદ સાથે લોકો નીકળી પડ્યા. અંદાજે 10 લાખ લોકોએ પરિક્રમા પુરી કરી હશે. આ પરિક્રમાના કેટલાંક ફોટોગ્રાફ્સ લીધા છે, તથા વિડીયો પણ રેકોર્ડ કર્યો છે. નાની એેવી ડોક્યુમેન્ટરી કહિ શકાય તેવો પ્રયત્ન કર્યો છે…

પરિક્રમાં | વરસાદ | ગીર | સોમનાથ

ગીરનાર ની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે વરસાદ પણ પોતાની હાજરી પૂરી રહ્યો એવું લાગી રહ્યું છે. હમણાજ થોડીવાર પહેલા વરસાદ આવ્યો. પરિક્રમામાં જતા લોકો ઉભા રહી ગયા. હજુ પણ વરસાદ ગાજી રહ્યો છે !

વેકેશન હોવાથી, કાલે અમે ગીર અને સોમનાથના પ્રવાસે ગયા હતા. ગીરમાં દેવાળિયા ગામે પહોંચીએ એ પહેલાજ હરણાઓ દેખાયા. મને ફોટોગ્રાફી શોખ ખરો પણ સારા ફોટા ના પાડી શક્યો. ગાડી અને હરણ બંને દોડતા હોવાથી ફોટામાં હરણ ના ચાર પગ જ આવ્યા, મો નહિ ! થોડીવાર પછી એને સારો પોઝ આપ્યો. ત્યાર બાદ ટીકીટ લયીને ગીરની અંદર પ્રવેશ્યા. ત્યાં પણ શરૂઆતમાં હરણાઓ તથા નીલગાય વગેરે જોવા મળ્યા. પણ પછી અમને જોવા મળ્યા બે એસયાયી સિંહો ! બંને આરામથી સુતા હતા. એક ક્યારેક ક્યારેક ઊંચું મો કરતો હતો. અભ્યારણમાંથી બહાર આવ્યા ત્યારે કોઈકે પૂછેલું કે કેટલા સિંહ જોયા ? મેં કીધું 450નો એક એવા બે જોયા ! (અમે 12 જણ હતા – 12*75)
ત્યાંથી સોમનાથ ગયા. સોમનાથથી ફરી રૂપાયતન.

પરિક્રમાં | વરસાદ | ગીર | સોમનાથ

ગીરનાર ની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે વરસાદ પણ પોતાની હાજરી પૂરી રહ્યો એવું લાગી રહ્યું છે. હમણાજ થોડીવાર પહેલા વરસાદ આવ્યો. પરિક્રમામાં જતા લોકો ઉભા રહી ગયા. હજુ પણ વરસાદ ગાજી રહ્યો છે !

વેકેશન હોવાથી, કાલે અમે ગીર અને સોમનાથના પ્રવાસે ગયા હતા. ગીરમાં દેવાળિયા ગામે પહોંચીએ એ પહેલાજ હરણાઓ દેખાયા. મને ફોટોગ્રાફી શોખ ખરો પણ સારા ફોટા ના પાડી શક્યો. ગાડી અને હરણ બંને દોડતા હોવાથી ફોટામાં હરણ ના ચાર પગ જ આવ્યા, મો નહિ ! થોડીવાર પછી એને સારો પોઝ આપ્યો. ત્યાર બાદ ટીકીટ લયીને ગીરની અંદર પ્રવેશ્યા. ત્યાં પણ શરૂઆતમાં હરણાઓ તથા નીલગાય વગેરે જોવા મળ્યા. પણ પછી અમને જોવા મળ્યા બે એસયાયી સિંહો ! બંને આરામથી સુતા હતા. એક ક્યારેક ક્યારેક ઊંચું મો કરતો હતો. અભ્યારણમાંથી બહાર આવ્યા ત્યારે કોઈકે પૂછેલું કે કેટલા સિંહ જોયા ? મેં કીધું 450નો એક એવા બે જોયા ! (અમે 12 જણ હતા – 12*75)
ત્યાંથી સોમનાથ ગયા. સોમનાથથી ફરી રૂપાયતન.