
Gujarati Sahitya Parisad
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી સ્વ.રણજિતરામ વાવાભાઈની નિષ્ઠાભરી હૃદયોર્મિમાંથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.
અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશાએ દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગુજરાતી સાહિત્ય પરીષદનું ૪૬મું અધિવેશન રૂપાયતન ગીરી તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા. ૨૨ થી ૨૫ ડીસેમ્બર, ૨૦૧૧ દરમિયાન યોજાશે.પૂ. મોરારી બાપુના આશિર્વાદથી આ અધિવેશન જૂનાગઢમાં છેલ્લા ૪૦ વર્ષ બાદ ત્રીજી વખત યોજાશે.
રૂપાયતનના યજમાન પદે યોજાનાર આ ગુજરાતી સાહિત્ય પરીષદના અધિવેશનમાં ભાગ લેવા ઇચ્છતાં સૌ સાહિત્ય રસિકોને પત્ર દ્વારા રૂપાયતન સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
સંપર્ક સરનામુઃ
રૂપાયતન આશ્રમ શાળા,
ગીરી તળેટી,
ભવનાથ,
જૂનાગઢ – ૩૬૨૦૦૪