Posts Tagged ‘બાલભવન’

SPIC MACAY તથા રૂપાયતન બાલભવન દ્વારા આયોજીત નૃત્ય કાર્યક્રમ

ગઇ કાલે અહિં રૂપાયતનમાં સ્પીકમેકૈ (SPIC MACAY) તથા રૂપાયતન બાલભવન દ્વારા એક નૃત્યનો કાર્યક્રમ યોજાઇ ગયો. પશ્ચીમ બંગાળમાંથી આવેલા આ કલાકારોએ પોતાની અનોખી કળા – નૃત્ય દ્વારા સૌને મંત્રમૃગ્ધ કરી દીધા હતા. તેઓએ મહિશાસુર વધનું નૃત્ય કર્યું હતું. આ કલાકારોએ જે ટ્રેડિશ્નલ ડ્રેસ પહેરીને નૃત્ય કર્યું છે, તે હજુ માસનપટ પર છવાઇ રહ્યું છે. સિંહનું પાત્ર ભજવનાર બે કલાકારોના વખાણ માટે મારી પાસે શબ્દો જ નથી…

એક ઝલક:

This slideshow requires JavaScript.

રૂપાયતન બાલભાવન – બાલશ્રી સન્માન યોજના

વ્હાલા બાળકો…
રૂપાયતન બાલભવનને રાષ્ટ્રીય બાલભવન નવી દિલ્હી સાથે સંલગ્નતા પ્રાપ્ત થયેલ છે.

આ સંલગ્નતા પ્રાપ્ત થતા આપણા વિસ્તારના પ થી ૧૬ વર્ષની વય જૂથ ધરાવતા બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃતીઓમાં સક્રીય ભૂમિકા ભજવવાની સોનેરી તક મેળવી શકે તેમ છે તેમજ વિવિધ કલાના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવી પોતાની સર્જનાત્મક શક્તિને વિકસીત કરી શકે તેમ છે.

વ્હાલા બાળકોને રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે નિમંત્રણ છે.

 રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે સંપર્કઃ

 રૂપાયતન બાલભવન
 ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ
 ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

રાષ્ટ્રીય બાલભવન – નવી દિલ્હી આયોજીત બાલશ્રી સન્માન અંગેના કલાનાં જુદાં જુદાં ચાર ક્ષેત્રો નીચે મુજબ છે:

  1. સર્જનાત્મક પ્રદર્શન કલા
  2. ક્રિએટીવ આર્ટ – સર્જનાત્મક કલા
  3. ક્રિએટીવ સાઇન્ટીફીક ઇનોવેશન – સર્જનાત્મક વૈજ્ઞાનિક સંશોધન
  4. ક્રિએટીવ રાઇટીંગ – સર્જનાત્મક લેખન કલા

બાલશ્રી સન્માન યોજના:

બાલશ્રી સન્માન યોજનાના નિયમો:

  • બાલશ્રી સન્માન – લોકલ લેવલ સિલેક્શનમાં ભાગ લેનાર બાળકની ઉંમર ૧લી એપ્રીલ, ૨૦૧૧ ના રોજ ૯ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી હોછી જોઇએ.
  • લોકલ લેવલ જ્યુરીની પસંદગી રૂપાયતન બાલભવન કરશે. જ્યુરી જે નિર્ણય આપે તે દરેક કક્ષાએ છેવટનો ગણાશે અને આ બાબતે કોઇપણ વિવાદ સ્વીકારવામાં આવશે નહિં.
  • બાલશ્રી સન્માન યોજના અંતર્ગત ભાગ લેનાર બાળકે પસંદગી પ્રક્રિયા માટે તા. ૧૬-૦૭-૨૦૧૧ને શનિવારનાં રોજ બપોરનાં ૩-૩૦ કલાકે તેમજ તા. ૧૭-૦૭-૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વખર્ચે રૂપાયતન   બાલભવન, ગિરીતળેટી, જૂનાગઢ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
  • આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવો એટલે બાલશ્રી એવોર્ડ માટે પસંદ થઇ ગયા છીએ એમ સમજવાનું નથી. બાળકમાં કેટલી સર્જનાત્મક્તા છે તેનાં પર તેની પસંદગી થવાનો આધાર છે.

વિશેષ માહિતી માટે રૂપાયતન સંસ્થાનો ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩ અથવા રૂબરુ સંપર્ક કરવો.