
નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28/11/2012ના રોજ કૈલાશ ગુરુકુળ ખાતે યોજાશે.
27 Oct

નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28/11/2012ના રોજ કૈલાશ ગુરુકુળ ખાતે યોજાશે.
21 Oct
“એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું”
“વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી”
- માધવ રામાનુજ
એવોર્ડ અપર્ણ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ
કાવ્ય પાઠન: શ્રી માધવ રામાનુજ
વિશેષ વ્યક્તવ્ય: શ્રી રઘુવીર ચૌધરી
સન્નિધિ: શ્રી લાભશંકર પુરોહિત
સ્વર પ્રતિભા: શ્રી પીયુષ દવે
ઉદ્ઘોષણા: શ્રી અંકિત ત્રિવેદી
શરદ પૂનમ, વાલ્મીકિ જયંતી, 29 ઓક્ટોબર, 2012 સાંજે 5:30
સ્થળ: રૂપાયતન પરિરસ, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનાગઢ.
આ સમારોહનું પ્રસારણ “आस्था” ચેનલ દ્વારા અનુકુળતાએ કરવામાં આવશે.
“પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વ્યાસ !
જમે કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.”
- માધવ રામાનુજ
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેનાં સમગ્ર કવિતા-સર્જનને લક્ષમાં લઇને પ્રતિવર્ષ અપાતો ગુજરાતી કવિતાનો ગૌરવપ્રદ, સત્તરમો “નરસિંહ મહેતા એવોર્ડ”, સુપ્રસિદ્ધ કવિશ્રી માધવ રામાનુજને એનાયત થશે.
ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં કવિશ્રીનું સન્માન કરી, ₹ 1,51,000/- ના રાશિ સાથે, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિચિહ્નનો 2012નો “નરસિંહ મહેતા એવોર્ડ” અર્પણ થશે.
ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
હર્ષદ ચંદારાણા
મેનેજિંગ ટ્રસ્ટી
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ
ટ્રસ્ટી મંડળ
શ્રી રઘુવીર ચૌધરી – અધ્યક્ષ
શ્રી હરીશચન્દ્ર જોશી – કોષાઘ્યક્ષ
શ્રી હર્ષદ ચંદારાણા – કાર્યાધ્યક્ષ
શ્રી પ્રફુલ્લ નાણાવટી – ટ્રસ્ટીશ્રી
શ્રી લાભશંકર પુરોહિત – ટ્રસ્ટીશ્રી
શ્રી અનિલ ખંભાયતા – ટ્રસ્ટીશ્રી
પોસ્ટ બોક્ષ: 46, મહાત્મા ગાંધી રોડ, અમરેલી – 365 601
“તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.”
“બીજમાંથી સીધી પૂનમ દઇ દે!
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ.”
28 ઓક્ટોબર, 2012, રવિવાર, સાંજે 5:30
સ્થળ: રૂપાયત પરિસર, ગિરનાર તળેટી, ભવનાથ, જૂનગાઢ.
પ્રેરણાદાયી ઉપસ્થિતિ: પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ
દીપ-પ્રાગટ્ય: શ્રીમતી પૂર્ણિમાબહેન મોનજભાઇ ખંડેરિયા
કવિગણ સર્વશ્રી: પ્રણવ પંડ્યા, જાતુષ જોશી, ભાવેશ ભટ્ટ, મિલિન્દ ગઢવી, વિમલ અગ્રવાત, નિલેશ પટેલ, રાહુલ શ્રીમાળી
કવયિત્રીવૃંદ સર્વશ્રી: દિવ્યા મોદી, એષા દાદાવાલા, છાયા ત્રિવેદી, લક્ષ્મી ડોબરીયા
ઉદ્ઘોષણા: શ્રી પ્રણવ પંડ્યા
29 ઓક્ટોબર, 2012, સોમવાર, સવારે 9:30
સ્થળ:શ્રીમતી એન.બી.કાંલિયા કન્યવિદ્યાલય, વંથલી રોડ, જૂનગાઢ.
અધ્યક્ષતા: શ્રી ચન્દ્રકાંત શેઠ
ભૂમિકા: શ્રી રઘુવીર ચૌધરી
ઉદ્ઘોષણા: શ્રી નીતિન વડગામા
વક્તવ્ય: સર્વશ્રી રમેશ મહેતા, દીપક રાવલ, સમીર ભટ્ટ, કુમાર જૈમિની શાસ્ત્રી અને યોગેશ જોશી
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢના પ્રથમ અધ્યક્ષ અને મૂર્ધન્ય કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં, આ ટ્રસ્ટના ઉપક્રમે “મનોજપર્વ-6’ ઉજવાશે.
કવિશ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિને શણગારવા આ અવસરે, ગરવી ગુજરાતી ગિરાના ઉભરતા તેજસ્વી અને યુવા કવિઓનું નવલોહિયાનું કવિસંમેલન યોજ્યું છે. તેમ જ ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જોની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોનો અદ્યતન ગુજરાતી દીર્ઘ કવિતા: વિવેચનાત્મક અભિવ્યક્તિ અંતર્ગત વાર્તાલાપ સંપન્ન થશે.
ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
હર્ષદ ચંદારાણા
મેનેજિંગ ટ્રસ્ટી
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધી
25 Sep
“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!”
આ ગીત ભાગ્યે જ કોઇએ નહિં સાંભળ્યું હોય ! આ ગીતના રચિયતા કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે.
નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી સાહિત્યનો અપાતો સૌથી મોટું પુરસ્કાર – એવોર્ડ છે. નરસિંહ મહેતા એવોર્ડમાં સન્માનિત કવિશ્રીને રૂ. ૧,૫૧,૦૦૦/-ની રાશી આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ કવિને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ પૂ. મોરારી બાપુનાં હસ્તે આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એવોર્ડ રૂપાયતન – ગીરનારની ગોદમાં આપવામાં આવે છે. પરંતુ આ વખતે, પૂ. બાપુની કથા સોમનાથ ખાતે હોઇ, આ રૂડા અવસરે જ આ એવોર્ડ આપવાનું રાખેલ છે. આગામી તા. ૦૮-૧૦-૨૦૧૧ થી મોરારી બાપુની રામકથા સોમનાથ ખાતે પત્રકારો દ્વારા યોજાનાર છે. આ કથામાં તા. ૧૧ ના રોજ કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર – નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોઃ
ભાનુપ્રસાદ પંડ્યાઃ

જન્મઃ ૨૪-૦૪-૧૯૩૨
ગામઃ તોરી (અમરેલી)
કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’
અંધ જનનું ગીતઃ
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને
તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઇ ગયા,
જાળવતી નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !