કલરવ: બ્રેઇલ લીપી આધારીત ગુજરાતી બાળ સામાયિક


“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !”

ભાનુપ્રસાદ પંડ્યાની આ પંક્તિ અંધજનો માટે પ્રાર્થનારૂપ બની ચુકી છે. કેટલાય અંધજન મંડળોમાં આ કાવ્યને પ્રાર્થના તરીકે હરરોજ ગાવામાં આવે છે. એક આવી જ સફળ પહેલ, સને ૨૦૦૯માં, રૂપાયતન બાલભવન દ્વારા કરવામાં આવી. અને એ પહેલ એટલે અંધજનો વાંચી શકે તેવી બ્રેઇલ લીપી આધારીત ગુજરાતનું પહેલું બાળ સામાયિક: કલરવ.

કલરવની ટુંકી માહિતી:

પ્રકાર: ત્રીમાસિક બાળ સામયિક

પ્રથમ અંક: જાન્યૂઆરી – ૨૦૦૯

તાજેતરનો અંક: માર્ચ – ૨૦૧૨

સંપાદક: રીનાબેન જસાણી

સહ સંપાદક: હર્ષાબેન વાઘેલા

પ્રકાશક: રૂપાયતન બાલભવન

મુદ્રક: એ.આઇ.સી.બી., બ્રેઇલ ભવન, સેક્ટર – ૫, રોહીણી, દિલ્હી – ૧૧૦ ૦૮૫

પ્રાપ્તિ સ્થાન: રૂપાયતન, ભવનાથ, જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

રૂપાયતન બાલ ભવને જાન્યુઆરી, ૨૦૦૯માં ગુજરાતની પ્રથમ બ્રેઇલ બાળ સામાયિક શરૂઆત કરી. કલરવના સંપાદક શ્રી રીનાબેન જસાણી અને સહ સંપાદક શ્રી હર્ષાબેન વાઘેલાના નિ:સ્વાર્થ પ્રયાસોથી આજ સુધી કલરવનો ૧૩મો અંક બહાર પડી ચુક્યો છે. કલરવના સંપાદકશ્રી રીનાબેન જસાણી પોતે અંધ છે. તેમની મદદથી રૂપાયતનના હર્ષાબેન વાઘેલા તથા રૂપાયતન બાલ ભવનને આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી. દર ત્રણ માસે આ સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે. હર્ષાબેન પોતે રૂપાયતનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ કલરવ માટે વિવિધ બાળ કાવ્યો, વાર્તાઓ તથા અન્ય બાળ સાહિત્ય સંગઠીત કરી, અને તેને સામાયિક બનાવવા દિલ્હી મોકલે છે. દિલ્હી સ્થિત, બ્રેઇલ બભનમાં તેનું મુદ્રણ થાય છે. ત્યારબાદ તેને રૂપાયતન બાલ ભવનને ફરીથી મોકલી દેવામાં આવે છે. આ સામાયિક રૂપાયતન બાલ ભવન દ્વારા અંધ બાળકો (અંધજન મંડળો)ને મુફ્તમાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂપાયતન બાલ ભવને કલરવના ૧૩ અંકો આપ્યા છે. અહીં નેશનલ બાલ ભવન – દિલ્હી, બ્રઇલ ભવન – દિલ્હી, રીનાબેન જસાણી તથા હર્ષાબેન વાઘેલાનો આભાર માનવો રહ્યો.

આ વખતે, કલરવ – માર્ચ, ૨૦૧૨ની ૧૦૦ જેટલી નકલો પ્રકાશિત કરવામાં આવી હતી. જો આપ કોઇ અંધ બાળકો માટે આ કલરવ સામાયિક મગવવા ઇચ્છતા હોં, તો રૂપાયતનનો નીચેના સરનામે સંપર્ક કરવો.

રૂપાયનન,

ભવનાથ,

જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

ફોન નં.: ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

ઇ-મેઇલ: mail@rupayatan.com

About these ads

2 responses to this post.

  1. Posted by Bhikhesh Bhatt on November 11, 2012 at 2:07 pm

    adbhut kary thai rahyu chhe. Rupayatan anek sundar karyo kare chhe…pan aa karynu shaikshnik ane sanskrutik banne rite bahu unchu mulya chhe. Dhanyavad.
    - Bhikhesh Bhatt

    Reply

  2. Posted by Rajiv Vachhrajani on January 12, 2013 at 6:28 am

    Its Great Effort done by Bal bhavan+Rupayatan junagadh,We appreciate this ,Please
    Donate Eyes It may give Light to some one….
    Rajiv…

    Reply

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: